બી વોટર, માય ફ્રેન્ડ — પુસ્તક સારાંશ

છબી
પુસ્તકનો પરિચય Be Water, My Friend માત્ર પ્રેરણાત્મક પુસ્તક નથી, પરંતુ જીવન જીવવાની એક ઊંડી અને વ્યવહારિક ફિલસૂફી છે. આ પુસ્તક ના પ્રખ્યાત વિચાર: “Be Water, My Friend” “પાણી જેવા બનો, મારા મિત્ર” પર આધારિત છે. લેખિકા એ બ્રુસ લીના જીવનના અનુભવો, વિચારો અને શિક્ષણોને આધુનિક જીવન સાથે જોડીને સમજાવ્યા છે. પુસ્તક આપણને શીખવે છે કે: જીવન સતત બદલાતું રહે છે, પરિસ્થિતિઓ કાયમી નથી, અને જે વ્યક્તિ બદલાવને સ્વીકારી શકે છે, તે જ આગળ વધે છે. પુસ્તકનો મુખ્ય સંદેશ પાણીનો પોતાનો કોઈ સ્થાયી આકાર નથી. તે જે વાસણમાં જાય છે, તેનો આકાર ધારણ કરી લે છે. પણ: તેની શક્તિ ઓછી થતી નથી, તેનું અસ્તિત્વ ખોવાતું નથી. બ્રુસ લી માનતા હતા કે માણસે પણ આવું જ બનવું જોઈએ: પરિસ્થિતિ મુજબ બદલાવ લાવવો, મુશ્કેલ સમયમાં શાંત રહેવું, જીવનના પ્રવાહ સાથે વહેવું, અને અંદરથી મજબૂત રહેવું. પુસ્તકની મુખ્ય શીખ અને પ્રેક્ટિકલ ઉદાહરણો 1. બદલાવને સ્વીકારવાની ક્ષમતા જ સાચી શક્તિ છે ઘણા લોકો માને છે કે મજબૂત વ્યક્તિ એ છે જે ક્યારેય બદલાતો નથી. પરંતુ બ્રુસ લી અનુસાર: “જે કઠોર છે તે તૂટી જાય ...

જીવન અને સબંધ - એક પરિચય

મારા વોટ્સએપ ઉપર આવેલા આજ સુધીના સૌથી સરસ માનો એક સરસ ને સાચો મારા અંતરમન ને સ્પર્શી ગયેલો મેસેજ તમારી સૌ સાથે *શેર* કરું છું.

આપને યોગ્ય અને સારો લાગે તો બીજા ગ્રુપમાં શેર જરૂર કરશો.  


*🙏 પ્રભુ  મહાવીરનો  કર્મવાદ 🙏*


👉 આપણી સાવ નજીદીકની વ્યક્તિઓ જ 

આપણને વધું દુઃખ આપતી હોય છે.  

તેનું કારણ શું ? 

અને તેવે વખતે શું કરવું ?


👉 જેની સાથે સૌથી વધુ *પ્રેમ સંબંધ* ને 

સૌથી વધુ *દ્વેષ સંબંધ* ભોગવવાના 

બાકી હોય તે જ વ્યક્તિઓ આપણી 

સૌથી *નજદીક* આવે છે. 

બાકી તો દુનિયામાં કરોડો લોકો છે.


👉 લેણદેણનાં સંબંધ વગર કોઈ આપણી સાથે જોડાતુ નથી.*


👉 કોણ આપણાં *મા-બાપ* બનશે ?  

કોણ *જીવનસાથી* ? 

કોણ *ભાઈ - બહેન* ? 


👉 કોણ *પુત્ર-પુત્રવધુ* ? 

કોણ *દીકરી-જમાઈ* ? 

કોણ *પાડોશી* ?  

કોણ *સગાં-વ્હાલાં* ? 


👉 આ બધું જ 

*આપણે આ સૃષ્ટિમાં જન્મ લેતાં પહેલાં પૂર્વ જીવનનાં કર્મ પ્રમાણે* 

નક્કી થઈ જાય છે. જ્યારે કોઈ આપણા જ નજદીકના વ્યક્તિઓ આપણને દુઃખ આપતા હોય ત્યારે વિચારવું કે 

આ મારાં સગાં બન્યાં છે તે પણ 

*મારાં જ કોઈ પૂર્વજન્મનાં લેણદેણને કારણે*  

તે આજે મારી સાથે વેર રાખી રહ્યાં છે. 


👉 તેનું કારણ મારા જીવે પૂર્વજન્મમાં ક્યારેક 

એ જીવ સાથે વેર બાંધ્યું હશે. 


👉 ભલે આજે હું મારી જાતને નિર્દોષ માનતો હોઉં પણ 

*હું ક્યાં જાણું છું કે પૂર્વજન્મમાં મેં આનાથી અનેક ઘણું દુ:ખ એ જીવને આપ્યું હશે.* 


👉 આજે જ્યારે એ જીવ મારી સાથે હિસાબ પૂરો કરવા આવ્યો છે કે મારાં જ કૃત્યની મને ભેટ પરત કરવા આવ્યો છે. ત્યારે 

*હું સમતાભાવે સહર્ષ સ્વીકાર કરું* 

તો જ *આ વેરની ગાંઠ ભેદાશે.*


👉 *નહિ તો જન્મોજન્મ ચાલી આવશે.* 


👉 પ્રભુ મહાવીરનો *કર્મવાદ* સમજ્યા પછી મારે એનો ગુણાકાર નથી કરવો.  

*મને આ દુઃખ સમતાભાવે વેઠવાની, હે... પ્રભુ, શક્તિ આપ... શક્તિ આપ...*


👉 ક્યારેક કોઈ વ્યક્તિ સાથે થોડો વખત સારા સંબંધ રહે છે. પછી એ જ વ્યક્તિ દુશ્મન જેવી બની જાય છે ત્યારે સમજવું કે એની સાથે રાગના સંબંધ હતા તે પૂરા થયા. હવે વેરના સંબંધ ચાલુ થયા લાગે છે.  


👉 આવે વખતે બે વસ્તુ ધ્યાનમાં રાખવી. રાગ અને પ્રેમના સંબંધોનો ઉદય થાય ત્યારે ખૂબ ખુશ ન થવું, અહંકાર ન કરવો, રાગને ટકાવી રાખવા કાવાદાવા ન કરવા, નહીં તો રાગનાં કર્મોનો ગુણાકાર થઈ જશે. 


👉 જ્યારે દ્વેષના કર્મનો ઉદય થાય અને દુશ્મનાવટ થાય ત્યારે અત્યંત દુઃખી દુઃખી ન થઈ જવું, રોકકળ ના કરવી.  


👉 બંને સંબંધો સમતાભાવે વેઠવા. વિચારવું કે રાગ પણ કાયમ રહેવાનો નથી, દ્વેષ પણ કાયમ રહેવાનો નથી. કાચના વાસણ જેવા માનવીના મનનો શું ભરોસો ? દ્વેષના સંબંધ ઉદયમાં હોય ત્યારે વચ્ચે કોઇ ત્રીજી વ્યક્તિએ જ આમ કરાવ્યું એમ વિચારી કોઈના પણ પ્રત્યે દ્વેષના સંસ્કાર નાખશો નહિ.


👉 ત્રીજી વ્યક્તિને તો હંમેશા નિમિત તરીકે જ જોજો. નિમિત્તને દોષ દેવાનો કોઈ મતલબ નથી. 


👉 મારાં નસીબમાં આમ બનવાનું જ હતું. માટે જ આ વ્યક્તિ આમાં નિમિત્ત બની છે એમ વિચારીને જે બન્યું છે તે બધું જ હસતે મોઢે સ્વીકાર કરવું.   


👉 આવી વખતે મહાપુરુષોના જીવનને યાદ કરવું.


👉 *ખુદ મહાવીર ભગવાનને એમનાં દીકરી-જમાઈ જ તેમની વિરુદ્ધમાં હતાં.*  

તો શું મહાવીરે તેમના પર રોષ કર્યો ? 

*જો રોષ કર્યો હોત તો તે મહાવીર બની શકત ?*


👉 તમારાં નજીકનાં સગાંને જ તમને ખરાબ ચિતરવામાં બહુ રસ હોય છે. દૂરના ને તો શું પડી હોય ?   


👉 *પાર્શ્વનાથ ભગવાન* ને *એમના સગા ભાઈનો જીવ, આઠ-આઠ ભવ સુધી તેમને મારવા વાળો બન્યો.*

  

👉 ગાંધીજીને આખી દુનિયા માન આપે છે, 

*તેમનો ખુદનો દીકરો*  જ તેમના *વિરુદ્ધમાં* હતો.


👉 *ઈસુ ખ્રિસ્ત* ને ખીલા ઠોકવાવાળા એમના જ માણસો હતા.  


👉 આ બધાનો વિચાર કરી મનને સમજાવવું કે 

*કસોટી તો હંમેશા સોનાની જ હોય ને થાય , પિત્તળની ના હોય.*


👉 અગર હું પિત્તળની કક્ષામાં છું,  

તો મારે મારી ભૂલો સુધારી સોનાની કક્ષામાં આવવું .

*જો હું સોનાની કક્ષામાં છું તો જાતને ભગવાનને ભરોસે છોડી દેવી.*


👉 આ જીવ કરોડો વર્ષોના *સંસ્કાર* સાથે લઈને આવ્યો છે તે કારણે  કદાચ *તે વ્યક્તિ ઉપર કે નિમિત્ત ઉપર ખૂબ દુઃખ કે દ્વેષ પણ થઈ જાય,*

તેમ છતાંય દર વખતે બને તેટલાં *જલ્દી ભાનમાં આવી* જઈ સંસારમાં  *વખતોવખત હૃદયથી સગા-વ્હાલા કે દુશ્મનની પણ "ક્ષમા" માંગી લેવી.*


*🙏 બને તેટલું આત્મભાવમાં લીન થવું તેથી કર્મ વેઠાશે.*


*આ લેખ ખુબ જ નિરાંતે વાંચજો*


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સ્વાસ્થ્ય: ચાર પાસાંઓનો મુદ્દો - શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક

જાપાની આદતોએ 47 દિવસમાં મારું સ્વાસ્થ્ય સુધાર્યું - ભારત માટે એક શાકાહારી અભિગમ

જૉન પર્કિસની પુસ્તકThe Power of Moving On — વિગતવાર ગુજરાતી સારાંશ